 |
|
પ્રકીર્ણ
અન્ય ઉપયોગી માહિતી
૧૮.૧ લોકો દ્રારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો
- તે કયારે અમલમાં આવે છે ?
- તેમાં કોણ આવરી લેવામાં આવેલ છે ?
- માહિતી એટલે શું ?
- માહિતીનો અધિકાર એટલે શું ?
- જાહેર સત્તાધિકારીની ફરજો કઈ કઈ છે ?
- શેની માહિતી આપવાની નથી ?
- શું અંશતઃ માહિતી આપી શકાય છે ?
- જાહેર સત્તાધિકારી એટલે શું ?
- કોને બાકાત રાખવામાં આવ્યા છે ?
- જો પક્ષકાર કોણ છે ?
- સરકારી માહિતી અધિકારીઓ કોણ છે ?
- સ. મા. અ. ની ફરજો કઈ કઈ છે ?
- માહિતીની વિનંતી કરવા માટેની અરજીની પઘ્ધતિ કઈ છે ?
- માહિતી મેળવવાની સમય મર્યાદા કઈ છે ?
- ફી શું છે ?
- નકારવાના કારણો કયા゙ હોઈ શકે ?
- એપલેટ સત્તાવાળાઓ કોણ છે ?
- કેન્દ્રીય માહિતી આયોગ કેવી રીતે ધઙવામાં આવેલ છે ?
- કેન્દ્રીય માહિતી આયોગ/માહિતી આયોગનો પાહ્વાતા માપદંઙ શું છે અને તેની નિમણૂકની પતિશું છે ?
- કેન્દ્રીય માહિતી આયોગની કચેરીના નિયમો અને અન્ય સેવાકીય શરતો કઈ છે ?
- માહિતી આયોગના નિયમો અને અન્ય સેવાકીય શરતો કઈ છે ?
- રાજ્ય માહિતી આયોગ કઈ રીતે રચવામાં આવે છે ?
- રાજ્ય મુખ્ય માહિતી આયુકત / રાજ્ય માહિતી આયુકતોની પાહ્વાતા, માપદંઙ અને નિમણૂકની પ્રક્રિયા શું છે ?
- માહિતી આયુકતોની સત્તાઓ અને કાર્યો કયા છે ?
- જણાવવાની કાર્યપતિ કઈ છે ?
- દંઙની જોગવાઈઓ કઈ છે ?
- અદાલતોના ક્ષેહ્વાાધિકાર શું છે ?
- કેન્દ્ર / રાજ્ય સરકારોની ભૂમિકા શું છે ?
- નિયમ ધઙવાની સત્તા કોની પાસે છે ?
- આ અધિનિયમનો અમલ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવાની સત્તા કોની પાસે છે ?
1. તે કયારે અમલમાં આવે છે ?
તે ૧ર મી ઓકટોબર, ર૦૦પ (૧પમી જૂન, ર૦૦પ ના રોજ તેના ધઙતરથી ૧ર૦ મા દિવસે) અમલમાં આવે છે.કેટલીક જોગવાઈઓ જેવી કે; જાહેર સત્તાકિારીઓની ફરજો (કલમ-૪), સરકારી માહિતી અધિકારીઓ અને મદદનીશ સરકારી માહિતી અધિકારીઓ (કલમ-પ-(૧) અને પ (ર), કેન્દ્રીય માહિતી આયોગની રચના (કલમ-૧ર અને ૧૩), રાજ્ય માહિતી આયોગની રચના (કલમ-૧પ અને ૧૬), ઈન્ટેલીજન્સ (ગપ્તચર) અને સલામતી સંસ્થાઓને અધિનિયમ લાગુ ન પઙવો (કલમ-ર૪) અને અધિનિયમની જોગવાઈઓનો અમલ કરવા નિયમો ધઙવાની સત્તા (કલમ-ર૭ અને ર૮) તાત્કાલિક અસરથી અમલમાં આવે છે.
ર. કોને આવરી લેવામાં આવેલ છે ?
અધિનિયમ જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતને લાગુ પડે છે.
૩. માહિતી એટલે શું ?
માહિતી એટલે દફતર, દસ્તાવેજો, યાદીઓ, ઈ-મેઈલ, મંતવ્યો, સલાહો, પ્રેસ રીલી, પરિપત્રો, હુકમો, લોગબુકસ, કરાર, અહેવાલો, કાગળો, નમૂનાઓ, મોઙેલ, કોઈપણ ઈલેકટ્રોનિક રૂપમમાં ઙેટા સામર્ગી અને અત્યારે અમલમાં હોય તેવા કોઈપણ કાયદા અન્વયે કોઈ જાહેર સત્તાધિકારી દ્વારા મેળવવામાં આવનાર કોઈપણ ખાનગી સંસ્થાને લગતી માહિતી પરંતુ જેમાં ララફાઈલોની નોધ(કલમ-ર (છ)નો સમાવેશ થતો ન હોય.
૪. માહિતીનો અધિકાર એટલે શું ?
તેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
- કાર્યો દસ્તાવેજો, દફતરોનું નિરીક્ષણ કરવું.
- દસ્તાવેજો અથવા દફતરોની નોંધ કરવી, ઉતારા અથવા પ્રમાણિત નકલો
- સામર્ગીના પ્રમાણિત નમૂના લેવા.
- પ્રિન્ટઆઉટ, ઙિસ્કેટ, ફલોપી, ટેપ, વિડીયો કેસેટ અથવા કોઈપણ અન્ય ઈલેકટ્રોનિક રીતે અથવા પ્રિન્ટ આઉટથી માહિતી મેળવવી (કલમ-ર૮ (ઠ))
પ. જાહેર સત્તાધિકારીની ફરજો કઈ કઈ છે ?
તેમણે અધિનિયમના ધઙતરના એકસો વીસ દિવસોમાં નીચેની વસ્તુઓ પ્રકાશિત કરવી.
- તેની સંસ્થા, કાર્યો અને ફરજોની વિગતો
- તેના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
- નિરીક્ષણ અને જવાબદારીની ચેનલ સહિતની તેના નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવામાં આવતી કાર્યપઘ્ધતિ
- તેના કાર્યો કરવા માટે ધઙેલાં ધોરણો.
- તેના કર્મચારીઓ દ્વારા કાર્યો બજાવવા માટે વાપરવામાં આવતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને દફતરો
- તેના અથવા તેના તાબા હેઠળના દસ્તાવેજોની કક્ષાઓનું એક-પહ્વાક
- નીતિના ધઙતર અથવા તેના અમલને લગતી બાબતે જનતા સાથે અથવા તેના સભ્યોના પ્રતિનિત્વિ સાથે સલાહ-પરામર્શની કોઈ ગોઠવણ હોય તો તેની વિગતો.
- બોર્ઙ, પરિષદો, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પહ્વાક જેમાં તેને ધઙનાર બે અથવા વધુ વ્યકિતઓ હોય. વધુમાં આ અંગેની બેઠકો જનતા માટે ખુલ્લી છે અથવા આવી બેઠકોની કાર્યવાહી નોં જનતાને મળવાપાહ્વા છે કે કેમ ?
- તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી-પુસ્તિકા.
- તેના વિનિયમોમાં જોગવાઈ થયા મુજબ તેના દરેક અધિકારી અને કર્મચારીને આપવામાં આવતું માસિક મહેનતાણું તેમજ મહેનતાણાની પઘ્ધતિ.
- તેની દરેક એજન્સીને ફાળવેલ બજેટ, જેમાં તમામ આયોજનોની વિગતો, સૂચિત ખર્ચ અને કરવામાં આવેલ વહેંચણી પરના અહેવાલોનો સમાવેશ થશે.
- સહાયકી કાર્યઉમોના અમલની પતિ જેમાં ફાળવેલ રકમો અને આવા કાર્યઉમોની વિગતો અને તેના લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
- તેના દ્વારા અપાતી રાહતો, પરવાના અથવા માન્યતા મેળવનારની વિગતો
- તેની પાસે ઉપલબ્ધીકરણ કરેલી અને વીજાણુ રૂપમાં સાચવેલી માહિતીની વિગતો.
- માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો જેમાં જાહેર વપરાશ માટે કોઈ પુસ્તકાલય અથવા વાંચન ખંઙ રાખવામાં આવેલ હોય તો તેના કામકાજના કલાકોનો સમાવેશ થાય છે.
- જાહેર માહિતી અધિકારીઓ (કલમ-૪(૧) (ખ)) ના નામ, હોદળા , અને અન્ય વિગતો.
૬. શું જાહેર ન કરવું ?
નીચેની બાબતોને જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવે છે. (કલમ-૮)
- એવી માહિતી કે જાહેર કરવાથી ભારતના સાર્વભૌમત્વ અને અખંઙિતતા, રાજ્યની સલામતી, વ્યૂહાત્મક વાૌનિક કે આર્થકિ હિતો, વિદેશી રાજ્યો સાથેના સંબધંોને પ્રતિકૂળ અસર પહોંચતી હોય અથવા તો તે ગુનાખોરીને ઉત્તેજન આપતી હોય.
- એવી માહિતી કે જેને કાયદાની કોઈપણ અદાલતે કે ન્યાયપંચે પ્રસિઘ્ધ કરવાની સ્પષ્ટપણે મનાઈ ફરમાવી હોય અથવા તો જે માહિતી જાહેર કરવાથી અદાલતની અવા થતી હોય.
- એવી માહિતી કે જે જાહેર કરવાથી સંસદ કે રાજ્ય વિધાનસભાના વિશેષાકિારનો ભંગ થતો હોય.
- વાણિજ્યિક ગોપનીયતા, વેપાર-રહસ્યો અથવા બૌધિક સંપત્તિ સહિતની માહિતી કે જે જાહેર કરવાથી ત્રીજા પક્ષકારની સ્પર્ધાત્મક સ્થતિને નુકશાન થાય. જો કે સક્ષમ સત્તા અધિકારીને એવી ખાતરી થાય કે આવી માહિતી જાહેર ન કરવી એ વિશાળ જન હિતના સમર્થનમાં છે.
- વ્યકિતને તેના વિકાસ-આધારિત સંબંને કારણે મળેલી માહિતી જો કે, સક્ષમ અધિકારીને એવી ખાતરી થાય કે આવી માહિતી જાહેર ન કરવી એ વિશાળ જન હિતના સમર્થનમાં છે.
- વિદેશની સરકાર પાસેથી મળેલી ગુપ્તમાહિતી
- એવી માહિતી કે જે જાહેર કરવાથી કોઈ વ્યકિતની જિંદગી કે શારીરિક સલામતી સામે જોખમ ઊભું થતું હોય અથવા તો માહિતીનું પ્રાપ્તિસ્થાન અથવા તો કાયદાના અમલ કે સલામતીના હેતુઓ માટે આપવામાં આવતી ખાનગી સહાય અંગેની વિગતો જાણી શકાતી હોય.
- એવી માહિતી કે જે જાહેર કરવાથી ગુનેગારોની તપાસ, ધરપકડ કે તેની સામે કામ ચલાવાની પ્રક્રિયામાં અવરો ઊભો થતો હોય.
- મંત્રીમંઙળ, સચિવો અને અન્ય અધિકારીઓ વચ્ચે થયેલ વિચાર-વિમર્શ અંગેના રેકર્ઙ સહિતના કેબિનેટના કાગળો-
- વ્યકિતગત બાબતો સાથે સબંધિત માહિતી કે જેની જાહેરાતને કોઈપણ સાર્વજનિક પ્રવળત્તિ કે લોકહિત સાથે સંબધં ન હોય, અથવા તો જે માહિતી પ્રગટ કરવાથી વ્યકિતના અંગત વન પર અનઅધિકળત હુમલો થતો હોય.
- ઉપર દર્શાવેલ છૂટછાટોમાં ગમે તે મજકૂર હોવા છતાં પણ જો સરકારી અધિકારીને એમ લાગે કે જનહિતમાં આવી માહિતી રજૂ ન કરવાથી રક્ષિત હિતને નુકશાન પહોંચે એમ છે તો તેઓ એ માહિતી મેળવી શકે.
૭. આંશિક માહિતી જાહેર કરી શકાય ?
જે માહિતીને જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવી હોય તેવી કોઈ પણ માહિતીમાં સમાવિષ્ટ ન હોય એવા રેકર્ઙનો ફકત તેટલો જ ભાગ અને જેમાં જે મુકિત આપવામાં આવેલ માહિતીનો સમાવેશ થતો હોય એવા કોઈપણ ભાગમાંથી સમજપૂર્વક અલગ તારવી શકાય એવી માહિતી પૂરી પાઙી શકાશે.
(કલમ-૧૦)
૮. સરકારી સત્તા તંહ્વા એટલે શું ?
સરકારી સત્તા તંહ્વા એટલે નીચેની દ્વારા સ્થાપવામાં આવેલ કે રચવામાં આવેલ સ્વ-રાજ્યનું કોઈ પણ સાાતંહ્વા અથવા મંઙળ અથવા સંસ્થા - ચ કલમ-ર () -
બધંારણ દ્વારા કે તે અન્વયે; સંસદ દ્વારા ધઙવામાં આવેલ / અન્ય કોઈ પણ કાયદા દ્વારા; રાજ્ય વિધાનસભા દ્વારા ધઙવામાં આવેલ / અન્ય કોઈ પણ કાયદા દ્વારા -
યોગ્ય સરકાર દ્વારા બહાર પાઙવામાં આવેલ જાહેરનામા કે કરવામાં આવેલ હુકમ દ્વારા અને જેમાં નીચેનાનો સમાવેશ થતો હોય-
- જે સંસ્થા પોતાની માલિકીની, નિયંહ્વિાત કે મોટી રકમનું નાણા ભંઙોળ મેળવતી હોય એવી સંસ્થા,
- યોગ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી રકમનું નાણા ભંઙોળ આપવામાં આવતું હોય એવી બિન- સરકારી સંસ્થા.
૯. કોને બાકાત રાખવામાં આવે છે ?
બી અનુસૂચિમાં ર્નિદિષ્ટ કેન્દ્રીય બાતમી અને સલામતી સંસ્થાઓ જેવી કે બાતમી કાર્યાલય, સંશાધેન અને અન્વેષણ શાખા, મહેસૂલ બાતમી નિયામકની કચેરી, કેન્દ્રીય આર્થકિ બાતમી કાર્યાલય, અમલ-બજવણી નિયામકની કચેરી, માદક દ્રવ્ય નિયંહ્વાણ કાર્યાલય, ઉળયન સંશોધન કેન્દ્ર, ખાસ સીમા સુરક્ષા દળ, સરહદ સુરક્ષા દળ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, ઈન્ઙો-તિબેટ સરહદ પોલીસ, કેન્દ્રીય ઔઘોગિક સલામતી દળ, રાષ્ટ્રીય સલામતી રક્ષક, આસામ રાઈફલ્સ, ખાસ સેવા કાર્યાલય, ખાસ શાખા (છૂપી પોલીસ ખાતું) આંદામાન અને નિકોબાર, ગુના-શોધક શાખા, છૂપી પોલીસ ખાતું, ગુના-શોધક શાખા, દાદરા અને નગર હવેલી તથા ખાસ શાખા, લક્ષદ્વિપ પોલીસ, રાજ્ય સરકારો દ્વારા જાહેરનામાં મારફત નિર્દિષ્ટ સંસ્થાઓને પણ બાકાત રાખવામાં આવશે. તેમ છતાં, આ નિષેધ અબાધિત નથી અને ભ્રષ્ટાચાર તેમજ માનવ અધિકારની અવગણનાના આક્ષેપોને લગતી માહિતી પૂરી પાઙવી એ આ સંસ્થાઓની ફરજ છે. વધુમાં, માનવ અધિકારની અવગણનાના આક્ષેપોને લગતી માહિતી ફકત કેન્દ્ર કે રાજ્ય માહિતી આયોગની મંજૂરી લઈને જ યથાપ્રસંગ આપી શકાશે. (કલમ-ર૪)
૧૦. ત્રીજા પક્ષકારો કોણ છે ?
ત્રીજો પક્ષકાર એટલે માહિતી મેળવવા માટે વિનંતી કરતા નાગરિક સિવાયની વ્યકિત અને તેમાં સરકારી અધિકારીનો સમાવેશ થાય છે. ત્રીજા પક્ષકારો એ સરકારને ખાનગીમાં રજૂ કરેલ અરજીઓ અને અપીલોની બાબતમાં તેઓને સાંભળવામાં આવે તેનો તેમને અધિકાર છે. (કલમ-ર (૧) અને કલમ-૧૧)
૧૧. જાહેર માહિતી અધિકારીઓ કોણ છે ?
સરકારી માહિતી અધિકારીઓ એ જાહેર સત્તા તંત્રો દ્વારા તમામ વહીવટી એકમો અથવા તેના નિયંહ્વાણ હેઠળની કચેરીઓમાં નિયુકત કરવામાં આવતા અધિકારીઓ છે કે જેઓએ આ અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે વિનંતી કરતા નાગરિકોને માહિતી પૂરી પાઙવાની હોય છે. કોઈપણ અધિકારી તેની અથવા તેણીની યોગ્ય ફરજો બજાવવા માટે સરકારી માહિતી અધિકારી દ્વારા જે સહાય માગવામાં આવે તેવી તમામ સહાય આપશે. અને આ અધિનિયમની જોગવાઈઓના ઉલ્લંધન બદલ આવા અન્ય અધિકારીને સરકારી માહિતી અધિકારી તરીકે ગણવામાં આવશે.
૧ર. સરકારી માહિતી અધિકારીની ફરજો શું છે ?
માહિતી મેળવવા માગતી વ્યકિતઓ પાસેથી મળતી વિનંતીઓ અંગે સરકારી માહિતી અધિકારી કાર્યવાહી કરશે અને જ્યાં લેખિતમાં વિનંતી કરી શકાય તેમ ન હોય ત્યાં તે અન્ય રૂપે વ્યકિતને યોગ્ય મદદ કરવી. જો માંગવામાં આવેલ માહિતી રોકી રાખવામાં આવતી હોય અથવા તો તેનું વિષય વસ્તુ અન્ય જાહેર સત્તાધિકારીની કામગીરી સાથે નિષ્ઠ રીતે સંકળાયેલું હોય તો, સરકારી માહિતી અધિકારીએ તે બાબત અન્ય જાહેર સત્તાધિકારીને પાંચ દિવસમાં તે બાબત તબદીલ કરવી અને અરજદારને તે અંગેની તાત્કાલિક જાણ કરવી.
સરકારી માહિતી અધિકારી, તેની / તેણીની ફરજો યોગ્ય રીતે બજાવવા માટે અન્ય કોઈ પણ અધિકારીની મદદ માગી શકે. માહિતી મળ્યેથી, સરકારી માહિતી અધિકારીએ શકય તેટલી ઝઙપે અને કોઈ પણ સંજોગોમાં વિનંતી મળ્યાના ૩૦ દિવસમાં, તે નિયત કરવામાં આવે તેટલી ફીની ચુકવણી કર્યેથી માહિતી પુરી પાઙવી અથવા તો કલમ-૮ અથવા કલમ-૯ માં નિર્દિષ્ટ કર્યા મુજબના કોઈપણ કારણસર તે વિનંતીને નામંજૂર કરવી. જ્યારે માંગવામાં આવેલી માહિતી વ્યકિતના વન કે સ્વાતંહ્વયને અસર કરતી હોય ત્યારે વિનંતી મયાના ૪૮ કલાકમાં જ તે પૂરી પાઙવી.
જો સરકારી માહિતી અધિકારી નિયત સમયગાળામાં વિનંતી અંગે નિર્ણય કરવામાં નિષ્ફળ જાય તો, તેમણે વિનંતી નો અસ્વીકાર કર્યો છે તેમ માનવામાં આવશે.
જ્યાં વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય ત્યાં, સરકારી માહિતી અધિકારીએ વિનંતી કરનારને નીચે મુજબની જાણ કરવી.
- આવા અસ્વીકાર માટેના કારણો,
- આવા અસ્વીકાર સામે જેટલા સમયગાળામાં અપીલ કરી શકાય તે સમયગાળો અને
- અપીલ અધિકારીની વિગતો. સરકારી માહિતી અધિકારી એ જે પ્રકારની માહિતી માગવામાં આવી હોય એ પ્રકારની જ માહિતી આપવી; સિવાય કે તે જાહેર સત્તામંઙળના નાણા-સાનોને અયોગ્ય દિશામાં વાળતી હોય અથવા તો વિવાદી રેકર્ઙની સલામતી કે જાળવણી માટે હાનિકારક હોય.
- જો આંશિક માહિતી આપવાની મંજુરી આપવામાં આવી હોય તો, સરકારી માહિતી અધિકારીએ અરજદારને નીચે મુજબની જાણ કરવી નોટીસ આપવી --
- માહિતી જેમાં સમાવિષ્ટ છે એવા રેકર્ઙ કે જેને જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવી હોય તેને અલગ કર્યાળ પછી માગણી કરેલ રેકર્ઙનો ફકત તેટલો ભાગ પૂરો પાઙવામાં આવી રહ્યો છે.
- જેના પર નિર્ણયો અધાારિત હતા તે અંગેની બાબતનો ઉલ્લેખ કરીને કોઈપણ હકીકત અધારિત મહત્વના પ્રશ્ન અંગેના કોઈ પણ તારણો સહિત નિર્ણય માટેના કારણો;
- નિર્ણય કરનાર વ્યકિતનું નામ અને હાદળોે;
- તેણે / તેણીએ ગણતરી કરેલ ફીની વિગતો અને અરજદારે જમા કરવી જરૂરી ફીની રકમ; અને
માહિતીનો જે ભાગ જાહેર ન કરવાનો હોય તે અંગેના નિર્ણયની સમીક્ષા, વસૂલ કરવામાં આવેલ ફીની રકમ અથવા જે પ્રકારે માહિતી પૂરી પાઙવામાં આવી હોય તે બાબતમાં તેના/તેણીના અધિકારો.
જો માગવામાં આવેલ માહિતી ત્રીજા પક્ષકાર દ્વારા પૂરી પાઙવામાં આવી હોય અથવા તો તે ત્રીજા પક્ષકાર દ્વારા તેને ખાનગી માહિતી તરીકે ગણવામાં આવી હોય તો, સરકારી માહિતી અધિકારી માગણી મળ્યાના પાંચ દિવસમાં તે ત્રીજા પક્ષકારને લેખિત નોટીસ આપી શકશે અને તેની રજૂઆતને વિચારણામાં લેશે. આવી નોટીસ મળ્યાની તારીખથી ૧૦ દિવસમાં સરકારી અધિકારી સમક્ષ રજુઆત કરવાની ત્રીજા પક્ષકારને તક આપવાની રહેશે.
|
|
Page 1 [2] |
|
|
|