|
નાગરિક અધિકાર પત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં ''જનસેવાકેદ્રો ઊભાં કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. આ કેદ્રમાં નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વિગેરે મેળવવા માટેની અદ્યતન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
નાગરિક અધિકાર પત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેદ્ર માટે નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીની જન સંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ રજૂઆત માટે તેમ જ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
ઉપરોકત જનસેવાકેન્દ્રનો મુદ્રાલેખ પોલીસ જનસેવાકેદ્રમાં આવતા દરેક અરજદાર / નાગરિક ખૂબજ મહત્વની વ્યક્તિ છે.તેઓ કોઈપણ રીતે આપણા ઉપર આધારિત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેદ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.
|
|