|
પોલીસ બંદોબસ્તના ચાર્જિસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.
સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાના હિતમાં પોલીસ અધીક્ષકશ્રી કે ઉપરી અધિકારીશ્રીને જરૂર જણાય ત્યારે કોઈપણ સંસ્થા કે પક્ષકારને વિના મૂલ્યે પોલીસ બંદોબસ્ત/રક્ષણ ફાળવવામાં આવે છે. નબળા વર્ગોને રક્ષણ આપવું જરૂરી જણાતાની સાથે તુરંત ફાળવવામાં આવે છે. અંગત અદાવત કે ઝઘડાની વિગત ઘ્યાન પર આવતાની સાથે જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવે છે. આમ છતાં કોઈ પક્ષકારની રક્ષણની માંગણી હોય તો સંજોગો ઘ્યાન પર લઈ બંદોબસ્ત ચાર્જ વસૂલ કરી રક્ષણ આપી શકાય છે. આ માટે સબંધિત પક્ષકારની અરજી આધારે પોલીસ અધીક્ષક સ્થાનિક પોલીસ સ્ટેનશનનો અભિપ્રાય લઈ નિર્ણય કરે છે.
કોઈપણ યુનિવર્સિટી, માઘ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સ્થળે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે જેના નાણાં વસૂલ લેવામાં આવતાં નથી. પરંતુ ચોકકસ હેતુથી માંગવામાં આવતી ગાર્ડના નાણાં વસૂલ લઈ આપવામાં આવે છે.
(અ) બેન્ક કે વેપારી દ્વારા મોટાપાયે નાણાંની હેરાફેરી માટે નિયત દરે નાણાં ચૂકવનારને હથિયારી રક્ષણ આપવામાં આવે છે.
(બ) ખાનગી સંસ્થા, બેન્કો વગેરેને સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સબંધિત સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીના પગાર ભથ્થાંની રકમના બે ગણી રકમ એડ્વાન્સમાં વસૂલ લેવામાં આવે છે.
બેન્ક કે નાણાંકીય સંસ્થાના વસૂલાત અધિકારી દ્વારા દાવાની બાકી રકમની વસૂલાત કરવા સારૂ પોલીસ બંદોબસ્તના ચાર્જિસ વસૂલ લઈ હેડ કવાર્ટર્સ અગર તો સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.
મનોરંજનનાં સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે/ટ્રાફિક નિયમનની કામગીરી માટે ખાનગી વ્યકિત/સંસ્થા તરફથી બંદોબસ્ત જાળવવા માટે માગણી થયેથી પોલીસ અધિકારી/કર્મચારીને જેટલી સંખ્યામાં ફાળવણી કરવામાં આવે તે દરજજાના પોલીસ અધિકારી/કર્મચારીના દૈનિક પગાર-ભથ્થાં તરીકે ચુકવવામાં આવતી પૂરી રકમ ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં ખાનગી વ્યકિત/ સંસ્થા તરફથી પૂરેપૂરી વસૂલ કરવામાં આવે છે.
મિલકત અને જમીનના વિવાદ અનુસંધાને કોઈ પક્ષકાર દ્વારા સ્વરક્ષણ માટે પોલીસ માંગવામાં આવે ત્યારે તેના કોર્ટકેસ કે અન્ય અર્ધન્યાયિક સત્તા સમક્ષ ચાલતી કાર્યવાહીની વિગત ઘ્યાન પર લઈ સ્થાનિક પોલીસનો અમુક વ્યકિતના રક્ષણ માટે પોલીસ પૂરી પાડવા અભિપ્રાય હોય તો મિલકતના કબજા બાબતે પોલીસ પક્ષકાર ન બને તે રીતે નાણાં ચૂકવણીથી રક્ષણ આપી શકાય છે. આ પ્રકારનું પોલીસ રક્ષણ વ્યક્તિની સલામતી માટે જ છે. અને કોર્ટના હુકમ વિના મિલકતના કબજા કરવા માટે જતી વખતે તે મળી શકે નહીં તેમ સમજવું. આ સંબંધે કોર્ટમાં કોઈ વિવાદ ચાલુ હોય તો રક્ષણ આપતાં પહેલાં જરૂર જણાય તો કાનૂની તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.નાણાં ચૂકવી આપવામાં આવતા પોલીસ રક્ષણ સબંધે તેના દર પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વખતોવખત રિવાઈઝ કરવામાં આવે છે.
|
|